જયેશ ભાઈ

તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો, તે ધ્યેયને સિધ્ધ કરવા તમારી તમામ શક્તિઓ શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિકને કામે લગાડી દો. જેટલા ખંતથી તમે કાર્યનો પ્રારંભ કરો છે તેટલો જ ઉત્સાહ તેના પરિણામ સુધી જળવાઈ રહેવો જોઈએ. જો એ કરવામાં તમે ખરા ઊતર્યા તો તમારી સફળતા નક્કી જ છે.
More

ક્રિશ્ના બેન

જ્યાં માત્ર સ્વાર્થની જ બોલબાલા હોય છે ત્યાં કોઈ વાત લાંબી ચાલતી હોતી નથી, પરંતુ, જ્યાં પ્રેમ અને લાગણીને પ્રાધાન્ય અપાતુ હોય ત્યાં કોઈ વાત ટુંકેથી પતતી હોતી નથી.
More

રોહન

આટલુ જરુર યાદ રાખીએ કે ઇશ્વર છે કે નહીં એ શ્રધ્ધા અને અનુભવની બાબત છે પરંતુ ઇશ્વર જેવીજ મહત્તા ધરાવતા મા બાપ એ નરી વાસ્તવિકતા છે. વાસ્તવિક વસ્તુ પ્રત્યક્ષ રીતે અનુભવી શકાય છે, જ્યારે કાલ્પનીક વસ્તુ નહીં.
More

ગૌરવ

તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય… તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો
More

રફિક

ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે મૌન પ્રથમ પગથીયુ છે. મૌનથી પ્રાપ્ત થાય છે પ્રાર્થનાનુ બળ, પ્રાર્થનાથી પ્રાપ્ત થાય છે શ્રધ્ધા બળ. શ્રધ્ધાથી સમજાય છે પ્રેમનુ મહાત્મય, પ્રેમથી પ્રાપ્ત થાય છે સેવા ની ભાવના. સેવા થકી મળે છે મનની શાંતી, મનની અગાઢ શાંતિ ઉદભવે ત્યારે જ થઈ શકે છે ઈશ્વરનો સાક્ષાત્કાર !!!
More

ગોવિન્દ ભાઈ

બીજા જયારે આપણે તેમના અંગે જે પ્રમાણેની ધારણા કરી હોય તેની વિરુદ્ધ વર્તન કરે ત્યારે આપણે શંકા થાય છે અને આ શંકા એ સંબંધોમાં તકરારનું પ્રથમ ચરણ છે
More